સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?

યહોવાના સાક્ષીઓ શા માટે ઘરે ઘરે જાય છે?

ઈસુએ પોતાના અનુયાયીઓને કહ્યું હતું: “સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ્થી ૨૮:૧૯, ૨૦) શરૂઆતના એ અનુયાયીઓને ઈસુએ ઘરે ઘરે જવા કહ્યું. (માથ્થી ૧૦:૭, ૧૧-૧૩) ઈસુના મરણ પછી, પ્રથમ સદીના એ ખ્રિસ્તીઓએ “જાહેરમાં તથા ઘરે ઘરે” જઈને ખુશખબર ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું. (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨; ૨૦:૨૦) શરૂઆતના એ ખ્રિસ્તીઓનું અમે અનુકરણ કરીએ છીએ. અમને જોવા મળ્યું છે કે, ઘરે ઘરે જઈને સંદેશો ફેલાવવો, એ લોકો સુધી પહોંચવાની સૌથી સારી રીત છે.