સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

યરૂશાલેમના મંદિરમાં પ્રાણીઓ વેચનારા વેપારીઓને ‘લુટારાઓ’ કહેવામાં આવ્યા. શું એ યોગ્ય હતું?

માથ્થીની સુવાર્તામાં લખ્યું છે: “ઈસુ મંદિરમાં ગયા અને મંદિરમાં વેચનારા તથા ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા; તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતરો વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી. અને તેમણે તેઓને કહ્યું: ‘એમ લખેલું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,” પણ તમે એને લુટારાઓનું કોતર બનાવી રહ્યા છો.’”—માથ. ૨૧:૧૨, ૧૩.

ઇતિહાસ બતાવે છે કે મંદિરના વેપારીઓ ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત લઈને તેઓનો ફાયદો ઉઠાવતા. સામાન્ય રીતે, કબૂતરો એટલા સસ્તા હતા કે ગરીબો પણ અર્પણ માટે એને ખરીદી શકતા. પ્રાચીન યહુદી લખાણો જણાવે છે કે પ્રથમ સદીમાં એવો સમય હતો, જ્યારે બે કબૂતર ખરીદવા સોનાનો એક દીનાર આપવો પડતો. એ તો મજૂરના ૨૫ દિવસના વેતન બરાબર હતું. કબૂતરો એટલા મોંઘા થઈ ગયા હતા કે ગરીબોને પોસાય એમ ન હતું. (લેવી. ૧:૧૪; ૫:૭; ૧૨:૬-૮) રાબ્બી શિમયોન બૅન ગમાલીયેલ એનાથી એટલા ગુસ્સે થયા કે તેમણે યહુદીઓના અર્પણની સંખ્યા ઘટાડી દીધી. રાતોરાત કબૂતરની કિંમત તળિયે આવી ગઈ.

સ્પષ્ટ છે કે, મંદિરના વેપારીઓ લોભી હતા અને ગ્રાહકોનો ફાયદો ઉઠાવતા હતા. તેથી, ઈસુએ તેઓને ‘લુટારાઓ’ કહ્યા એ યોગ્ય જ હતું.